Pages

'જતીનદાસ'





'જતીનદાસ'
ઉપવાસ કરી ને રાજદ્વારી અધિકાર માટે શહીદ થઇ ગયેલા વીરો માં પ્રથમ નામ છે,શહીદ જતીનદાસ નું,
જેઓ શહીદ ભગત સિંહ ના સાથી હતા,જતીનદાસ લાહોર ષડયંત્ર માટે પકડાયા હતા ને તેમને ૧૯ ક્રાંતિકારીઓ સાથે લાહોર સેન્ટ્રલ જેલ માં રાખવામાં આવ્યા હતા,
અંગ્રેજો દ્વારા રાજદ્વારી કેદીયો સાથે જેલોમાં રખાતા ભેદભાવ સામે ભગત સિંહ, બટુકેશ્વર દત્ત સાથે ઉપવાસ પર ઊતર્યા હતા.એમણે એમના સાથીઓને કહ્યું હતું કે 'એકાદ ક્રાન્તિકારી શહીદ નહીં થાય ત્યાં સુધી રાજદ્વારી કેદીઓની હાલત સુધારશે નહીં.
જતીન દાસ દ્વારા ઉપવાસ પર ઉતર્યા બાદ થોડા દિવસ પછી હાલત બગડવા માંડી હતી,ત્યારે અંગ્રેજ સરકારે બળજબરી પૂર્વક તેમને ખવડાવવાના પ્રયાસો કર્યા હતા,અંગ્રેજ સરકાર દ્વારા ગળા માં રબરની ટ્યુબ નાંખીને દૂધ રેડવા ના પ્રયત્નો કાર્ય હતા,પરંતુ જતીનદાસ એ જ વખતે ખાંસી ખાતા એટલે બધું દૂધ સીધું ફેફસામાં ચાલ્યું જતું,જેથી અંગ્રેજી સરકાર ના પ્રયત્ન નિષ્ફળ જતા.
----------------------------------------------------------------------------------------
આ લખવાનું કારણ એટલુજ કે કાલે ૧૩ જુલાઈ છે,જતીનદાસે ૧૩ જુલાઈ ૧૯૨૯ ના રોજ ઉપવાસ ચાલુ કરેલા અને ૬૩ દિવસ બાદ એમનું મુત્યુ થયું હતું.
બસ કાલે રાહુલ-નરેન્દ્ર મોદી,સલમાન-શાહરૂખ,કરીના-માધુરીને બાજુ માં મૂકી ને જતીનદાસ ને પણ ૨ મિનીટ યાદ કરી દેજો.
 

No comments:

Post a Comment